ફિલ્મ રીવ્યુઃ અક્ષયકુમારની નવી ફિલ્મઃ કેસરી ચેપ્ટર 2

ફિલ્મ રીવ્યુઃ અક્ષયકુમારની નવી ફિલ્મઃ કેસરી ચેપ્ટર 2

ફિલ્મ રીવ્યુઃ અક્ષયકુમારની નવી ફિલ્મઃ કેસરી ચેપ્ટર 2

Blog Article

દર્શકોને ઘણી રાહ જોવડાવ્યા પછી આ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઇ ગઈ છે. અક્ષયકુમાર, આર માધવન અને અનન્યા પાંડે અભિનિત આ ફિલ્મની સ્ટોરી જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના આધારીત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણસિંહ ત્યાગીએ કર્યું છે અને તેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે.


આ ફિલ્મ પણ પીરિયોડિકલ છે, પરંતુ કોઈ રાજાની યશોગાથાને બદલે બ્રિટિશરોની ગુલામી અને તે સમયે લડાયેલા એક કાનૂની જંગના યૌદ્ધાની વાર્તા છે. 1919માં થયેલા જલિયાવાલા બાગની પુષ્ટભૂમિ પર બનેલી આ ફિલ્મમાં સી. શંકરન નાયર નામના વકીલની વાત છે. આ વકીલ કઈ રીતે બ્રિટિશરોને બાનમાં લે છે તે વાત ખૂબ જ ધારદાર રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં હિન્દી મસાલા ફિલ્મ જેવું કંઈ ન હોવા છતાં તે દર્શકો જકડી રાખે છે. આ ફિલ્મ દર્શકોને દર્દનો અનુભવ કરાવશે અને સાથે આજ દિન સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડ મુદ્દે બ્રિટિશરોએ માફી નથી માગી તે વાત પણ યાદ અપાવશે.

Report this page